Placeholder canvas

વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજાયું.

વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજવામાં આવેલ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ સુશાસન પૂર્ણ થવાના અવસરે જન સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન યોજવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને તેજાબી વક્તા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ અંતર્ગત ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે કામગીરી થયેલ તેના વિશે માહિતગાર કરેલ.
વાંકાનેરના તમામ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

વાંકાનેર ભાજપ પરિવારના તમામ નામી અનામી હોદ્દેદારો કાર્યકરો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા મહેશભાઈ કસવાલાનું સન્માન કરવામાં આવેલ.

આ સમાચારને શેર કરો