Placeholder canvas

વાંકાનેર:તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વઘાસીયાની કૃતિને મળ્યુ પ્રથમ સ્થાન

વાંકાનેર તાલુકા કક્ષાએ બી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું. જેમાં વઘાસીયા પ્રાથમિક શાળાના બાળકોએ ઉષ્માઉર્જામાંથી યાંત્રિકઉર્જામાં રૂપાંતરિત કરતો પ્રોજેકટ રજુ કર્યો હતો. સૌ પ્રથમ સી.આર.સી. કક્ષાએ આ કૃતિ પ્રથમ નંબરે આવી હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા કક્ષાએ આ કૃતિ રજુ થઇ હતી. અને ત્યાં ૫ણ તેના વિભાગમાં પ્રથમ ક્રમે આવી હતી.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જોવા આવતા બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે આ કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણ કે, આ કૃતિમાં કયાંય ૫ણ મોટર મુકવામાં નહોતી આવી છતાં ૫ણ ફકત એક લેમ્પની ગરમીને કારણે એક ચક્ર સતત ફર્યે રાખતું હતું અને તેના થકી ‘વઘાસીયા પ્રાથમિક શાળા’ એવુ નામ રંગીન અક્ષરો સાથે ૫ડદા પ્રતિબિંબિત થતું હતું. જાણે એક ટી.વી. હોય તેવું લાગતું હતું. આમ બી.આર.સી. કક્ષાએ બાળકો માટે આ કુતુહલનો વિષય બની ગયો હતો.

નવાઇની વાત એ છે કે, આ સમગ્ર કૃતિ ફકત ૬૦ રૂપિયામાં બની હતી. અને એ માટે શાળાના ત્રણ શિક્ષકો અલ્પેશભાઇ દેશાણી, નરેશભાઇ જગોદણા અને મીનાક્ષીબેન કાચરોલાએ મહેનત કરીને બાળકોને આ કૃતિ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાની બાળાઓ મીરાલી ઝાલા અને અર્પિતા ઝાલાએ જોવા આવનાર તમામ બાળકો અને મહેમાનોને આ કૃતિના સિઘ્ઘાંતો સમજાવ્યા હતા.

આ કૃતિ હવે જયારે મોરબી જિલ્લા કક્ષાએ ભાગ લેનાર છે. ત્યારે રામકૃષ્ણનગર તાલુકા શાળાના આચાર્યશ્રી હસમુખરાય મકવાણા, સી.આર.સી. કો.ઓ. મહંમદજાવિદ બાદી, બી.આર.સી. કો.ઓ. મયુરસિંહ પરમાર, વાંકાનેર શૈક્ષિક સંઘના પ્રમુખશ અશોકભાઇ સતાસીયા, સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળા, ટી.પી.ઓ. મંગુભાઇ પટેલઅને ઘારાસભ્ય જીતુભાઇ સોમાણીએ આ કૃતિ નિહાળી હતી અને જિલ્લા કક્ષાએ ૫ણ શ્રેષ્ઠ કૃતિ બનીને રાજય કક્ષાએ ૫હોંચે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો