Placeholder canvas

વાંકાનેર: ઈદના બીજા દિવસે હઝરત શાહબાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

વાંકાનેર : વાંકાનેરમાં આસ્થા અને કોમી એકતાનું પ્રતિક હઝરત શાહબાવા (રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક વાસી ઈદના દિવસે શાનો શોકતથી ઉજવવામાં આવશે.જેમાં હઝરત જોરાવર પીર બાવાની દરગાહે ચાદર ચઢાવી સલામી બાદ ત્યાંથી ઝુલુસ શરુ થશે.

વાંકાનેરમાં આગામી રમઝાન ઈદના બીજા દિવસે (તા.4ને બુધવારના રોજ) હઝરત શાહબાવા(રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.સવારે 10 કલાકે વાંકાનેર રસાલા રોડ ખાતે આવેલ હઝરત જોરાવર પીર બાવાની દરગાહે ચાદર ચઢાવી સલામી બાદ ત્યાંથી ઝુલુસ શરુ થશે.આ ઝુલુસમાં શાહબાવાની ચાદર તથા સંદલ અને ઐતિહાસિક હઝરત શાહબાવાના તોહફાનું યાને ગાદી,તકિયા અને ધોકો યાને વાંકાનેરની સ્થાપના જે ધોકાથી થઇ છે તે સંવત 1604 થી અશા સાથે આ ઝુલુસ બજાર રોડથી ચાવડી ચોક,માર્કેટ ચોક,પ્રતાપ ચોક થી રામચોકમાં આવેલ શાહબાવાના મિનારા વાળી દરગાહે પહોંચી ત્યાં શાહબાવાના મઝાર ઉપર ચાદર ચડાવી સલાતો સલામ બાદ આમ ન્યાઝ(પ્રસાદ) લોકોને બાટવામાં આવશે.

જે ન્યાઝ તમામ લોકો લઇ શકશે.આ ઝુલુસમાં ફૈઝ હાસિલ કરવા અકીદત મંદોને જાહેર આમત્રંણ પાઠવવામાં આવે છે.દરગાહ શરીફે આવનારે ઇમદાદ(મદદ) શાહબાવાની પેટીમાં નાખવી.કોઈને હાથમાં રકમ ન આપવા સૂચન કરેલ છે.વધુ માહિતી માટે મો.92285 62426 પર સંપર્ક કરવો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો