Placeholder canvas

મોરબીના 20 વિસ્તારમાં અશાંતધારો લાગુ…

મોરબી : મોરબી શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોની માંગણીને પગલે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોરબીના જુદા જુદા 20 વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવવા અંગેનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના આ જાહેરનામા અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો