Placeholder canvas

વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યાત્રીનું મૃત્યુ.

વાંકાનેર : ગઈકાલે રાત્ર વાંકાનેર રેલવે સ્ટેશનેથી પસાર થયેલ જામનગર – બાંદ્રા હમસફર ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યાત્રીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ ગઈકાલે શનિવારે રાત્રે 10.50વાગ્યા પહેલા જામનગર બાંદ્રા હમસફર ટ્રેનમાંથી વાંકાનેર રેલવે યાર્ડમાં અંદાજે 30 વર્ષની ઉંમરનો એક અજાણ્યો માણસ ટ્રેનમાંથી પડી જતા 108 મારફતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરતા  મોડીરાત્રે મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો કોઈને વાલી વારસોની જાણ થાય તો વાંકાનેર રેલવે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલાનો મોબાઈલ નંબર  6352135244 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો