Placeholder canvas

રાજકોટ:માધાપર ચોકડી અને મફતીયા પરામાંથી બે સગીરાના અપહરણ થયા ! ફરિયાદ…

15 દિવસ પહેલાં ભગાડી ગયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ

રાજકોટ,તા.3 : માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાંથી ગઈ તા.13નાં સગીરાને ભરવાડ શખ્સ લગ્નની લાલચે ભગાડી ગયાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. ફરીયાદએ જણાવ્યા અનુસાર મારે સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. જેમાં મોટી પુત્રીના લગ્ન થયેલ છે. અને બે પુત્રીઓ અને મારા પિતા સાથે રહુ છું. ગઈ તા.13 ઓગષ્ટના રાત્રીના પરીવાર સાથે સુતા હતાં

ત્યારે મારી બીજી નંબરની પુત્રી કયાંય ચાલી ગયાનું માલુમ પડતાં આડોશ પડોશ અને સગા સંબંધીને ત્યાં તપાસ કરતાં પતો લાગ્યો ન હતો. જે બાદ એક વર્ષ પહેલાં તે ફોનમાં વાત કરતા રતનપરના સંજય ભરવાડ સાથે પકડાઈ ગઈ હતી. જેમના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હોઈ જેથી સંજય મારી પુત્રીનું અપહરણ કરી ગયેલ છે. બીજા બનાવમાં શીતળાધાર મફતીયાપરા માંથી 13 વર્ષની સગીરાને બે દિવસ પહેલા સાંજના આઠેક વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલ હતી. જેમ અંગે પડોશમાં અને સગા સંબંધીને ત્યાં તપાસ કરતા કયાંય પતો લાગેલ ન હતો. જેને કોઈને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયેલ હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

આ સમાચારને શેર કરો