Placeholder canvas

વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: એકનું પડી જવાથી અને બીજાનું હાર્ટએટેક આવતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા હતા જેમાં આધેડને ચક્કર આવ્યા બાદ પડી જવાથી તેમજ બીજા બનાવમાં યુવાનને હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેર દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ ઉ.52 પોતાના ઘરે હતા ત્યારે ચક્કર આવતા તેઓ બેશુદ્ધ થઇ ઢળી પડ્યા હતા. ત્યારે તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સહદેવભાઈને મૃત જાહેર કર્યા હતા.

જયારે બીજા બનાવમાં વાંકાનેરના નૂર પ્લાઝા પાર્કિંગમાં અલીફશેનભાઇ ઇશાકભાઇ શેખ ઉ.45, રહે. શીંવાંગ ફૈજાબાદ ઉતરપ્રદેશને હાર્ટ એટેક આવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો