Placeholder canvas

વાંકાનેરમાં આવતી કાલે મફતમાં તુલસીના રોપ મળશે…

વાંકાનેર ખાતે આગામી તારીખ ૯ ઓગસ્ટના રોજ બુધવારે વિનામૂલ્ય તુલસીજીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે તુલસીજીનો છોડ અનેક રીતે ગુણકારી છે.તુલસીજીનો પવિત્ર છોડનો ધાર્મિક વિધિ વિધાનમાં ઉપયોગ થાય છે. તો તે ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી કોરોના કાળમાં લોકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો છે. ત્યારે આવા અમૂલ્ય તુલસીજીના છોડ સમગ્ર વાંકાનેર શહેરની પ્રજા સુધી પહોંચે એ હેતુથી બંસી મસાલા દ્વારા આગામી તા.૯-૮-૨૦૨૩ના રોજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન શહેરના જીનપરા ચોક, icici બેંક પાસે વિનામૂલ્યે તુલસીજીના રોપા નું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે ભુપતભાઇ છૈયા મો.૭૩૫૨૬ ૩૦૪૫૩ નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદ્રસિંહ ઝાલા, મુળુભા ઝાલા, દીપકસિંહ,રાહુલભાઈ બરડીયા, મુગટભાઈ કુબાવત, ધવલભાઈ રથીયા,જીગીશભાઈ મેહતા, ધ્રુવગીરી ગોસ્વામી,કાર્તિકભાઈ રાવલ, જીતુભાઇ અપારનાથી, રાહુલભાઈ જોબનપુત્રા, રામદે ભાટિયા, રવિ લખતરીયા અને ગૌરવભાઈ પટેલ સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

આ સમાચારને શેર કરો