વાંકાનેર: દોશી કોલેજમાં NCC કેડેટ દ્વારા વૃક્ષારોપણ કરાયું
વાંકાનેર: શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુકામે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ડૉ. વાય. એમ. ચુડાસમા અને ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
NCC ઑફિસર લેફ્ટિનેન્ટ ડૉ. વાય. એ. ચાવડા અને NCC કેડેટ દ્વારા લોખંડના પિંજરા સાથે 18 વૃક્ષો કૉલેજના પટાંગણમાં અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. તેમજ આ વાવેલા બધા વૃક્ષો ને NCC કેડેટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ઉપરાંત NCC ઑફિસર અને NCC કેડેટ દ્વારા વાંકાનેર તાલુકાના રહેવાસીઓને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી.