Placeholder canvas

વન મહોત્સવ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું જેમાં તાલુકાના રાજકીય અગ્રણી અને સંસ્થા પ્રતિનિધિ હાજર રહ્યા હતા

રાજકોટ મોરબી રોડ પર ટંકારા પોલીસ મથક બહાર નવનિર્માણ બગીચામાં વન મહોત્સવ અંતર્ગત ફોજદાર બિ ડી પરમાર અને એ. વી ગોડલિયા સાથે સ્ટાફ ઉપરાંત તાલુકાના સરપંચો અને અગ્રણી નેતાઓ હોમગાર્ડ જવાન અને જી આર ડી જવાનો સાથે વુક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજી, યુવા એડવોકેટ અને કાયદા તજજ્ઞ સંજયભાઈ ભાગિયા, દિનેશભાઈ વાધરિયા, રૂપસિંહ ઝાલા, રશિકભાઈ દુબરીયા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરા, નિલેશ પટણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો