Placeholder canvas

મોરબી જિલ્લાના 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની બદલી

તમામને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો આદેશ

મોરબી જિલ્લા પોલીસ વડાએ ગત રાતે ધરખમ ફેરફારો કર્યા છે. જિલ્લાના 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કોન્સ્ટેબલ બદલીના આદેશો છોડ્યા છે. જેમાં એલસીબી પીઆઇને ટ્રાફિક શાખામાં મૂકી દેવાયા છે. જ્યારે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇને સિટી બી ડિવિઝનમાં પોસ્ટિંગ અપાયું છે.

મોરબી જિલ્લા પોલીસ વડાએ 4 પીઆઇની બદલીના આદેશ કર્યા છે. જેમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજાની ટ્રાફિક શાખા, મોરબી તાલુકાના એમ.આર.ગોઢાણીયાની એલસીબીમાં, મોરબી સિટી બી ડિવિઝનના વી.એલ. પટેલની મોરબી તાલુકા અને લિવ રિઝર્વમાં રહેલા પી.એ.દેકાવડિયાની મોરબી સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત 5 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં માળિયાના એન.એચ. ચુડાસમાંની એલસીબી શાખા (આર્થિક ગુના નિવારણ), વાંકાનેર સિટીના બી.ડી. જાડેજાની માળિયા, માળિયાના વી.બી. રાયમાંની મોરબી સિટી બી ડિવિઝન,મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના એન.એ.શુક્લાની વાંકાનેર સીટી, મોરબી સિટી બી ડિવિઝનના એમ.પી.સોનારાની મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત 24 પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી થઈ છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા બળદેવસિંહ જાડેજાની વાંકાનેર સિટી, રણજિતસિંહ રાઠોડને હળવદ, મહેન્દ્રકુમાર ગઢવીની ટ્રાફિક શાખા, આરઝુબેન ઓડેદરાની હેડ ક્વાર્ટર, નારણભાઈ લાવડીયાને વાંકાનેર સિટી, મોરબી સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા ચમનભાઈ ચાવડાની વાંકાનેર તાલુકા, દેવશીભાઈ મોરીની મોરબી તાલુકા, મોરબી તાલુકામાં ફરજ બજાવતા પ્રદીપસિંહ ઝાલાની વાંકાનેર સિટી, નગીનદાસ નિમાવતની વાંકાનેર સિટી, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા વિપુલકુમાર ફૂલતરિયાની મોરબી સિટી એ ડિવિઝનમાં, વિજયદાન ગઢવીની મોરબી સિટી એ ડિવિઝનમાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ધવલ ભાગીયાની ટંકારા, દેવાયતકુમાર રાઠોડની મોરબી સિટી બી ડિવિઝન, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ મોરીની વાંકાનેર સિટી, બ્રિજરાજસિંહ ઝાલાની વાંકાનેર તાલુકા, રતિલાલ ગરચરની માળિયા, યુવરાજસિંહ જાડેજાની મોરબી તાલુકા, જયવંતસિંહ ગોહિલની એએચટીયુ, ટંકારામાં ફરજ બજાવતા શૈલેષભાઇ હૈણની મોરબી સિટી બી ડિવિઝન, હિતેશ કુમાર ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન, જયદેવસિંહ ઝાલાની માળિયા, ક્યુઆરટીમાં રહેલા જયેશ માણસૂરિયાની વાંકાનેર તાલુકા, માળિયામાં ફરજ બજાવતા સંજયભાઈ સામતીયાની હળવદ અને એલસીબીમાં ફરજ બજાવતા સંજયભાઈ મૈયડની ટંકારામાં બદલી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો