Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૦૪ કેસ નોંધાયા અને ૮ દર્દી થયા ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના કેસોમાં રાહત જોવા મળી રહી છે, આજે મોરબી જીલ્લામાં નવા ૦૪ કેસ નોંધાયા છે અને જીલ્લામાં ૦૮ દર્દી સ્વસ્થ થયા હોવાથી એક્ટીવ કેસનો આંક ઘટી જવા પામ્યો છે

મોરબી જીલ્લાના આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને શહેરી વિસ્તારમાં ૦૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે મોરબી તાલુકામાં ૦૬, વાંકાનેરમાં ૦૧ અને માળિયા તાલુકામાં ૦૧ દર્દી એમ કુલ આઠ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે અને તેને ડિસ્ચાર્જ કર્યા છે. જેથી એક્ટીવ કેસનો આંક ઘટીને ૪૭ થયો છે

આ સમાચારને શેર કરો