મોરબી જિલ્લામાં આજે 29 કોરોના કેસ નોંધાયા, જ્યારે 20 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા છે.
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 3 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1040 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના કોરોના પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 14
- મોરબી ગ્રામ્ય : 07
- વાંકાનેર સીટી : 04
- વાંકાનેર ગ્રામ્ય : 01
- હળવદ સીટી : 00
- હળવદ ગ્રામ્ય : 02
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 01
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 29
આજે ડિસ્ચાર્જ થયેલ દર્દીની વિગત
- મોરબી તાલુકામાં : 07
- વાંકાનેર તાલુકામાં : 04
- હળવદ તાલુકામાં : 06
- ટંકારા તાલુકામાં : 02
- માળીયા તાલુકામાં : 01
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 20
મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 171
