વાંકાનેર

વાંકાનેર સીટી પોલીસ દ્રારા નાગરિકોમાં તિરંગા વિતરણ કરાયાં.

સ્વતંત્રતા પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરી વાહન ચાલકો તથા ધંધાર્થીઓમાં તિરંગા વિતરણ કરી રાષ્ટ્ર એકતા તેમજ રાષ્ટ્ર પ્રેમ તરફ જનતાને પ્રેરિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

આ તકે વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા, હેડ કો. વાલજીભાઈ પરમાર, પ્રદિપસિંહ ઝાલા, કો. જગદીશભાઈ ગાબુ, પ્રવિણભાઇ, મહિલા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિતના જોડાયા હતા.

આ સમાચારને શેર કરો