Placeholder canvas

મોરબીના ત્રણ પીઆઇને ડીવાયએસપીનું પ્રોમોશન મળ્યું 

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવાની સાથે રાજ્યના ત્રણ પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી આપી છે. જેમાં મોરબીના એલસીબી પીઆઇ, ટ્રાફિક પીઆઇ ઉપરાંત એસીબી પીઆઇનો સમાવેશ કરાયો છે.

ગૃહ વિભાગના અધિક સચિવ દ્વારા બઢતી બદલી અંગેના કરાયેલા હુકમ અન્વયે મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પીઆઇ એમ.આર.ગોઢાણીયાને ડીવાયએસપી તરીકે બઢતી સાથે ડીસા મુકવામાં આવ્યા છે જયારે મોરબી ટ્રાફિક શાખાના પીઆઇ વી.બી.જાડેજાને ડીવાયએસપી તરીકે બઢતી આપી નિમણૂકની પ્રતીક્ષામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એસીબી પીઆઇ બી.એસ.રબારીને બઢતી સાથે વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો