Placeholder canvas

દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા…

મોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ત્રણેય લોકોને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.જે સવારે રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવશે અને આ રિપોર્ટ કાલે સાંજ સુધીમાં આવી જશે..

દિલ્હીના નિઝામુદિનમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ઘણા લોકો કોરોનાથી સંક્રમિત થતા, આ સ્થળે ગયેલા મોરબી તાલુકાના 3 લોકોને ફોન ટ્રેસિંગના આધારે ડિટેકટ કરવામાં આવ્યા છે અને આ તમામને મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવીને આરોગ્ય વિભાગે તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે. ઉપરાંત તેઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ આવતીકાલે સવારે જામનગર મોકલવામાં આવનાર છે. બાદમાં સાંજ સુધીમાં રિપોર્ટ આવશે…

આ સમાચારને શેર કરો