Placeholder canvas

મોરબી: સ્વામી નારાયણ મંદિરમાં ત્રણ વ્યક્તિને લાગ્યો વિજશોક: એકનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર સ્વામી નારાયણ મંદિરમાં કળીયા કામ કરતા સમયે ત્રણ વ્યકિતને વિજશોક લાગ્યો હતો જે પૈકીના એક વ્યક્તિનું વિજ શોક લાગતા સ્થળ ઉપર જ મોત નિપજ્યુ છે. જો કે, અન્ય લોકોએ સમયસર બચાવવા માટેની કામગીરી કરતા બે વ્યક્તિના જીવ બચી ગયા છે અને હાલમાં બન્ને ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બાંધકામ ચાલુ હતું ત્યારે કડિયાનો હાથ અચાનક વીજ લાઇન સાથે અડકી જતા તેને શોક લાગ્યો હતો અને તેની સાથે કામ કરી રહેલા બે વ્યક્તિઓને પણ શોક લાગવાથી તે નીચે પટકાયા હતા આ બનાવમાં એક વ્યકિતનું મોત નિયજ્યુ છે

આ સમાચારને શેર કરો