Placeholder canvas

કિડનીના દર્દીઓ માટે કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાશે.

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિહોર, નવસારી, ઘોઘા, ઉઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગૠષી સ્વ. ચીનુભાઈ શાહ દ્વારા સ્થાપીત આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્નઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીર દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે.

કિડનીના દર્દીઓ માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર–રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે તા. ૧૦ એપ્રિલ, રવીવારે સવારે ૧૦–૦૦ થી બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં કીડનીના દર્દીઓને ડાયાલીસીસમાં પડતી મુશ્કેલી, કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને પડતી મુશ્કેલી તથા કીડનીના અન્ય રોગોથી પીડાતા દર્દીઓને નામાંકિત તબીબ ડો.પ્રતિક અમલાણી દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં કીડનીના દર્દીઓ તથા રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર–રાજકોટ દ્વારા આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટેલોક વિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઈ ભાયાણી ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના એડવાઈઝર મિતલ ખેતાણી તથા પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ, મીનેશભાઈ મેઘાણી જહેમત ઉઠાવી રહયા છે.

આ કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અશ્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ૨૯૬૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો