Placeholder canvas

વાંકાનેર: જીનપરામાં બંધ મકાનમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં એક બંધ ઘરમાં રોકડ અને સોનાના દાગીના મળી રૂ. 96 હજારની ઘરફોડ ચોરી થઇ હોવાનો બનાવ બન્યો છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરના જીનપરા રોકડીયા હનુમાન મંદીરની પાછળ રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુબશદ (ઉ.વ. 50, મુળ રહે મકાન નં. 119, મયુરનગર સ્કોચ શેરી નં. 5, તા.હુબલી, જી.ધારવાડ રાજય કર્ણાટક)ના બંધ મકાનની છત ઉપર કોઇ ઇસમે ચડી ઉપરથી નીચે સીડી વાટે બેડરૂમમા પ્રવેશ કરી, રૂમમા રહેલ કબાટ લોક માર્યા વગરના હોય, તે કબાટના ખાનામા રહેલ રોકડા રૂ. 15,000 તથા સોનાનો ચેઇન કિ.રૂ. 47,000 તથા સોનાની પહોચી (બ્રેસલેટ) કિ.રૂ. 34,000 તેમ કુલ રૂ. 96,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયું છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો