Placeholder canvas

વાકાનેર: એક જ રાતમાં ત્રણ બંધ મકાનમાં રોકડ, દાગીના, ટી.વી. સહિતની ચોરી

ત્રણેય બંધ મકાનને નિશાન બનાવ્યા

વાંકાનેર: ગાયત્રી સોસાયટીમા એકી સાથે ત્રણ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યા હતા અને ત્રણેય મકાનમાં ચોરી કરી હતી જ્યારે મકાન માલિકો ઘરે આવ્યા ત્યારે તેમને ઘરમાં બધું વેરવિખેર જોતા ચોરી થયાનો લાગતા સવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી.

વાંકાનેરમાં છેલ્લા એકાદ મહિનામાં પોલીસ મથકે નાની મોટી ચોરીની કેટલીક ઘટના નોંધાઈ છે, ત્યારે ગત રાત્રીના પંચાસર રોડ પર આવેલી ખોડિયારનગર પાસેની ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કરી ગયા હતા. આ ત્રણેય મકાનમાંથી રૂપિયા એકાદ લાખથી વધુના માલમતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

આ ચોરીમાં ચોર માત્ર રોકડ દાગીના જ નહિ પરંતુ એલ ઈ.ડી. ટી વી. પણ લઈ ગયા છે. આ ચોરીની ઘટનામા પોલીસે ચોરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો