Placeholder canvas

રાજકોટમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 1નું મોત, 2 ઘાયલ

રાજકોટ: રાજ્યમાં ઉત્તરાયણ પણ અનેક દુર્ધટઓના સમાચાર સામે આવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં વધુ એક દુર્ઘટના બની છે. રાજકોટના દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

રાજકોટના મીલપરા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ જોવા મળી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો