Placeholder canvas

ટંકારમાં વ્યાજખોર બેફામ: ત્રણ ગણા પૈસા વસુલ્યા પછી જાનથી મારી નાખવાની ધમકી આપી.

ટંકારા ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં વેપારીની ગોળી ધરબી હત્યા કરી ખંડણી માંગવાના બનાવ બાદ વ્યાજખોરોના પાપે વેપારીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સિરામીક ટાઇલ્સના વેપારમાં ખોટ જવાથી 10 ટકા વ્યાજે નાણાં લઈ ત્રણ ગણા રૂપિયા ચૂકવી દેવા છતાં બે આરોપીઓએ જાનથી મારી નાખવા યુવાનને ધમકી આપતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઘુનડા ખાનપર ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રા નામના યુવાનને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી દસ માસ પૂર્વે 10 ટકા લેખે રૂપિયા 1,50,000 અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે 10ટકા વ્યાજે 3,50,000 લીધા બાદ બન્નેને અનુક્રમે 4,50,000 અને 9,00,000 ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવી તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપતા આ યુવાને ઘર છોડી દીધું હતું.

વધુમાં તેમના પરિવારજનો એની પરિચિતો દ્વારા બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા હિંમત આપતા આ મામલે અંતે બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનયમ તેમજ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરો