Placeholder canvas

‘તાઉ તે’ હજુ ગયું છે ત્યાં ‘યાસ’ વાવાઝોડાનો ખતરો સામે આવ્યો

તાઉ તે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહી મચાવી છે. એક તરફ જ્યાં ગુજરાતમાં 19 લોકોના વાવાઝોડામા મોત થયા છે, તો મહારાષ્ટ્રમાં 6થી વધારે લોકોના માર્યા ગયાની સૂચના છે. આ સાથે જ જે જગ્યાઓ પરથી વાવાઝોડું પસાર થયું ત્યાં તબાહીના અલગ જ દ્રષ્યો જોવા મળ્યા. આ તમામની વચ્ચે સમાચાર છે કે 5 દિવસ બાદ વધુ એક વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગ અનુસાર 23-24 મે દરમિયાન વાવાઝોડું ‘યાસ’ બંગાળની ખાડીથી ટકરાશે. આ વખતે વાવાઝોડાનું નામ ઓમાને આપ્યો છે.

ભારતના હવામાન ખાતાએ જણાવ્યું કે, આગામી અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે લૉ પ્રેશર સિસ્ટમ તીવ્ર થવાના સંકેત પણ આપ્યા છે, દરિયાની સપાટીનું તાપમાન એસએસટી બંગાળની ખાડી ઉપર 31 ડિગ્રી છે. આ સરેરાશથી લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. તમામ દરિયાઈ અને વાયુમંડળીય પરિસ્થિતિઓ વાવાઝોડાને અનુકૂળ છે.

ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી સર્વાધિક અસરગ્રસ્ત ઊના, દીવ, કોડીનાર, રાજુલા, જાફરાબાદ સહિત દરિયાઈ પટ્ટીના સેંકડો ગામોમાં રાતભર 150થી 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને 9 ઈંચ સુધીના તોફાની વરસાદે મકાનો, ખેતરો, વૃક્ષો, વીજ થાંભલા બધું જ તહસનહસ કરી નાખ્યું છે. વાવાઝોડાએ ભાવનગર જિલ્લામાં 5, અમરેલી જિ., અને નડિયાદ, સાણંદમાં 2-2, ગીરસોમનાથમાં3૩ અને રાજકોટ જિલ્લામાં 1 વ્યક્તિ સહિત નવસારી, વલસાડ, સેલવાસ, ખંભાતમાં 1-1 વ્યક્તિ, સહિત રાજ્યમાં કુલ 19નો ભોગ લીધો છે.

આ સમાચારને શેર કરો