Placeholder canvas

આજથી અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ: ભાવનગરમાં 17 નવા કેસ

રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5428 થઇ છે, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290 પહોંચ્યો છે અને કુલ 1042 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આજથી ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે.

GCRIના ડાયરેક્ટર સસ્પેન્ડ
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના 8થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલેઃ
સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

આ પણ જુઓ….

નીચે અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….

https://m.facebook.com/story.php?story_fbid=930971194009572&id=319052715201426?sfnsn=wiwspmo&extid=buMsYiaSFv6JxX94&d=n&vh=e

આ સમાચારને શેર કરો