Placeholder canvas

ટંકારાના રેતી કપચીના વેપારીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો.

ટંકારાના રેતી કપચીના વેપારી આધેડે કોઈ અગમ્ય કારણોસર કલ્યાણપર ગામે મિત્રની ઓઇલમિલની ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા મામલે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા હાલ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ ચકચારી બનાવમાં ટંકારા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામના વતની અને લાંબા સમયથી ટંકારા લક્ષ્મીનારયણ સોસાયટીમાં રહેતા બાલાજી કન્સ્ટ્રકશનવાળાથી ઓળખાતા જગદીશભાઇ ગંગારામભાઇ જીવાણી, ઉ.52એ ગઈકાલે લતીપર રોડ ઉપર કલ્યાણપર ગામે આવેલ તેમના મિત્રની ઓઇલમિલની ઓફિસમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જગદીશભાઈ આર્થિક સંકડામણમાં હોવાથી વ્યાજખોરો દ્વારા કડક ઉઘરાણી કરાતી હોવાની દિશામાં પણ ચર્ચા ઉઠી છે. વધુમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ પ્રકરણમાં મૃતકના પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરાતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરો