Placeholder canvas

થાનગઢમાં એક સાથે સાત મકાનના તાળા તોડતા તસ્કરો…

થાનગઢ ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવા માટે જુદા જુદા મકાનના માલિકો બહારગામ ગયા હોવાના કારણે એક સાથે બે વિસ્તારમાં સાત મકાનોના તાળા તૂટ્યા છે. જેમાં રૂ. એક લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાઓ ચોરાયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

આ અંગેની જાણકારી મળતા થાનગઢ પોલીસ તમામ જગ્યાએ તાત્કાલિક અસરે દોડી ગઈ છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં લાખા મચી રોડ પાસે તેમજ ખોડીયાર મંદિર પાસે મળી અને સાત મકાનોના તાળા તૂટ્યા છે. જેમાં મકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મકાનોમાંથી રૂપિયા એક લાખ રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા મળી અને મોટી માત્રામાં તસ્કરો ચોરી કરી ગયા…

આ સમાચારને શેર કરો