Placeholder canvas

વાંકાનેરમાં જૈન સમાજે સંસદમાં TMCના સાંસદે કરેલા અભદ્ર ટીપણીના વિરોધ્ધમાં રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

વાંકાનેર: આજે જૈન સમાજ દ્વારા સંસદમાં TMCના સાંસદે કરેલા અભદ્ર ટીપણીના વિરોધ્ધમાં દેરાસરથી સેવાસદન સુધી બાઇક રેલી સાથે આવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

તણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રા દ્વારા સંસદમાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જૈનોના સંતાનનું શેરી ગલીએ નોનવેજ ખાય છે. ટી. એમ સી ના સાંસદે જૈન સમાજ ઉપર કરેલી આવી અભદ્ર ટિપ્પણી થી જૈન સમાજ અને સંસદની ગરિમાને હાની પહોંચાડેલ છે. તેમના વિરોધમાં આજે વાંકાનેરના જૈન સમાજે દેરાસરથી બાઈકમાં રેલી કાઢીને સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આ રેલી અને આવેદન આપવાનું આયોજન જૈન વીર સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં તમામ સંઘના પ્રમુખ આગેવાનો અને વડીલો જોડાયા હતા તેઓએ આવેદનમાં માગણી કરી છે કે TMC ના સાંસફ માફી માંગે અને સંસદના રેકોર્ડ ઉપર થી તેમને હટાવવામાં આવે, આ ઉપરાંત જૈન વીર સેનાએ આ માંગણી ઈમેલ દ્વારા સંસદના સેક્રેટરી અને રાષ્ટ્રપતિ સમક્ષ પણ કરી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો