વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફદયાની ગ્રાન્ટ આપી નથી: RTIમાં ખુલાસો
વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફાદયુ ગ્રાન્ટ આપી ન હોવાનો RTIમાં ખુલાસો થયો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ના યજ્ઞપુરુષ નગરમાં રહેતા અર્જુનસિંહ વાળાએ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કેટલાક મુદ્દે આરટીઆઇ કરી હતી તેમાં નો મુદ્દા નંબર 5 માં તેમને આરટીઆઇમાં એવી માહિતી માંગી હતી કે covid-19 અંતર્ગત કોવિડ સેન્ટર જ્યારથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અજદિન સુધીની કોવિડ સેન્ટર અંતર્ગત વાપરવામાં આવેલી ગ્રાન્ટ, ખર્ચની વિગતો બીલ સાથે ખરી નકલથી આપવી.
આ અર્જુનસિંહ વાળાએ માગેલી આરટીઆઈ દ્વારા માહિતી વાંકાનેર સિવિલ હોસ્પિટલના જાહેર માહિતી અધિકારી અને અધિક્ષકે જવાબ આપ્યો છે કે covid-19 અંતર્ગત સરકારી હોસ્પિટલ વાંકાનેરને કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/06/IMG-20210611-WA0008__01.jpg)
આમ સરકાર દ્વારા જો મોટી મોટી વાતો કરતી હોય, જાહેરાતો કરતી હોય ત્યારે વાંકાનેરની સરકારી હોસ્પિટલને covid 19 માટે કોઈ પણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં ન આવી હોય તો વાંકાનેરના covid-19 ના દર્દીને કેવી સુવિધા અને સારવાર મળી હશે? એ સ્વભાવીક પ્રશ્ન થાય… આ જાહેર થયેલી બાબતથી એ પણ જાહેર થઈ જ ગયું કે વાંકાનેરની નેતાગીરી કેવી છે? હવે એ લખવાની જરૂર રહે ખરી !!!
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)