Placeholder canvas

લો બોલો…સરકાર લગ્ન અને મરણ પ્રસંગને સામાજિક પ્રસંગ નથી માનતી

રાજ્ય સરકાર દ્વારા તા. 31 જુલાઈથી રાજયમાં કોરોનાની ગાઈડ લાઇનમાં છૂટછાટ અપાઈ છે. તેમાં સામાજિક,રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુલ્લા કે બંધ સ્થળોએ યોજવા માટે 400 વ્યક્તિની હાજરીને પરમીશન અપાઈ છે. પરંતુ લગ્ન પ્રસંગે માત્ર 150 અને મરણ પ્રસંગે માત્ર 40 વ્યક્તિની મંજૂરી અપાઈ છે. લગ્ન અને મરણ પ્રસંગ રાજ્ય સરકારની સામાજિક પ્રસંગની વ્યાખ્યામાં આવતા નથી ! તેવી સ્પષ્ટતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના કારણે નાગરિકોમાં ભારે નારાજગી પ્રસરી છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂથી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે આવતીકાલે તા. 31 જુલાઈથી અમલમાં આવશે.

કોરોના ગાઈડ લાઈનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આ ગાઈડ લાઈનમાં લગ્ન પ્રસંગને સામાજિક કાર્યક્રમ ગણવામાં આવ્યો નથી. જેના કારણે હજુ પણ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીને જ માન્ય રાખવામાં આવી છે. જ્યારે સામાજિક અને રાજકીય પ્રસંગોમાં 400 વ્યક્તિઓની હાજરીની પરમીશન આપવામાં આવશે. આવી જ રીતે મરણ પ્રસંગમાં માત્ર 40 વ્યક્તિઓની હાજરીની છૂટ આપવામાં આવી છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલ તા. 31 જુલાઈથી સમગ્ર રાજયમાં અમલી બનશે.

આ સમાચારને શેર કરો