Placeholder canvas

વાંકાનેર: બિમારીથી કંટાળીને યુવતીએ જાત જલાવી દીધી…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે વધુ યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતી કાજલબેન અશોકભાઇ સુથાર નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાની જાત જલાવતા સળગી ઉઠી હતી અને અગ્નિનો શિકાર બની હતી. જેથી પરિજનો દ્વારા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, મોમજીભાઈ ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે જેને જણાવ્યું હતું કે મૃતક કાજલબેનને એક અઠવાડિયાથી તાવ આવતો હોય અને સારું ના થતું હોય જેથી ઘરે કોઈના હોય ત્યારે જાત જલાવી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

આ સમાચારને શેર કરો