Placeholder canvas

ટંકારા: કોરોના કાળ પછીનો પહેલો ગરીબ કલ્યાણ મેળો યોજાશે: અનેક પરિવારોને મળશે આશિયાના

100 ચો. વાર ઘરથાળના પ્લોટની ફાળવણી મોરબી ખાતે મુખ્યમંત્રી હસ્તે મુહૂર્ત! આભ ઓઢી રહેતી વિચરતી, વિમુક્ત જાતિના પરિવારોને સ્થાયી થવા તંત્રે રહેઠાણ માટે જમીન ફાળવી

ટંકારા તાલુકામાં છેલ્લા ધણા સમયથી નવા ૧૦૦વારના પ્લોટ ફારવણી પશ્ર્ન પેચીદો બન્યો હતો ત્યારે અચાનક એક દીવસ ગાંધીનગરથી ગરીબોના કલ્યાણ માટે મેળાનો સમય અને સ્થળ નક્કી થાય છે પછી શુ તમને બધાને ખબર છે કે તંત્ર ધારે તો ઢિલ ક્યા હોય! મહારાણા પ્રતાપ સાથે સામિયાણા લઈ નિકળેલા લોકો આઝાદી પછી આટલા વરહે વિચરતી જાતિના પરિવારોને સ્થાયી થવા માટે કલેકટરે સરકારી ખરાબાની જમીન ફાળવણી કરી તાત્કાલિક ઘરથાળના પ્લોટ ફાળવવા હુકમ કરતા ટંકારા તાલુકામા વસતા વિચરતી વિમુક્ત ભટકતી જાતિના લાભાર્થી પરીવારોને તંત્ર દ્વારા જમીનના કબજા સુપ્રત કરવામા આવ્યા હતા.

ઉપરાંત, ટંંકારાના ઘરવિહોણા પરીવારને ગામતળમાં મફત ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી કરવામાં આવતા લાભાર્થીઓમા ખુશીની લહેરખી પ્રસરી હતી. ટંકારામા કલેકટરે ફાળવેલી સરકારી ખરાબાની જમીન સ. નં. 110 પૈકીની હે. 0-80-94 ચો. મી જમીનમાં તાત્કાલિક કબજા સોંપવા માટે મામલતદાર, ટીડીઓ અને ડી. આઈ. એલ. આર તંત્રને કબજા સોંપણી ફરજ સોંપી હતી. અને બાદમા મામલતદારે વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનંદ પણ ઈસ્યુ કરવા ફરમાન કર્યું હતુ.

ઉપરાંત, ટંકારામા વસતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતી સમાજના ઘરવિહોણા પરીવારોને ગામતળમા ઘરથાળના 100 ચો. વાર પ્લોટની ફાળવણી કરાઇ હતી.આ તકે ટંકારા તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર વિઠ્ઠલભાઈ લો, મામલતદાર કચેરીના સર્કલ કલ્પેશભાઈ બુસા, તલાટી મંત્રી કિશોર ભટાસણા, દિવ્યેશ રાજકોટીયા, જી. ડી. ઝાલા, રવિ ગોસાઈ, હર્ષદ ભૂત, ડીઆઈએલઆરના સર્વેયર ચેતન હડીયલે ટંકારા ખાતે સ્થાનિક સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ગ્રા. પં. સદસ્ય રસિકભાઈ દુબરીયા, અરજણભાઈ ઝાપડા સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, ઈરફાન ડાડા સહિતનાઓની ઉપસ્થિતિમા આશિયાના બનાવવા જમીન ફાળવતા ઘરવિહોણા પરીવારોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આ સમાચારને શેર કરો