Placeholder canvas

સતાધારના પૂર્વ મહંત જીવરાજ બાપુનું નિધન

લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન માનવામાં આવતા પવિત્ર સતાધાર મંદિરના પૂર્વ મહંત જીવરાજ બાપુનું નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સતાધારના પૂર્વ મહંતનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારીથી પીડિતા હતા, તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

સતાધારના પૂર્વ સંત જીવરાજ બાપુનુ નિધન થતા હજારો લાખો ભક્તો અને સાધુ સંતોમાં ઘોરા શોકની લાગણી છવાઈ ગઈ છે. જીવરાજ બાપુની અંતિમ વિધિ માટે સમગ્ર સંત સમાજ કાર્યક્રમ નક્કી કરશે, આજે મંગળવારે અંતિમવિધિ કરવામાં આવશે.

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જીવરાજ બાપુની મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.

જીવરાજ બાપુએ આજીવન લગ્ન નહોતા કર્યા. જવરાજ બાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. તેમણે 1982માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મંહત બનાવ્યા હતા. નાની ઉમંરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવીજ રીતે હરિબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજ બાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી, ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે.

🏵🏵🏵🏵🏵🏵🏵🏵

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો