Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમની કેનાલ રવીપાક માટે આજે ચાલુ કરવામાં આવી

વાંકાનેર: આજ રોજ વાંકાનેર મચ્છુ – 1 સિંચાઈ યોજના દ્વારા કેનાલ મારફતે રવિ પાક માટે શરૂ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ગામડાના ખેડૂતો દ્રારા રવિ પાકનું વાવેતર વધુમાં વધુ થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુ થી કેનાલ વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, સેક્સન ઓફિસર એન. વી.પટેલ, વર્ક આસીસ્ટન્ટ એચ. જે. જાડેજાના હસ્તે સવારે 11.00 કલાક ના શુભ મુહર્તે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું.

આ સમયે વાંકાનેર શહેર ભાજપ મહામઁત્રી કે. ડી. ઝાલા, દિપક પટેલ, ઉપ પ્રમુખ શાહ અમિતભાઇ,રાતડિયા અરજણ, અમરસિભાઈ મઢવી અને ક્રિપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો