Placeholder canvas

વાંકાનેર: ભલગામ પાસેથી લાશ મળી : હત્યાની આશંકા

મૃતકની ઓળખ તેમજ મોતનું કારણ જાણવા કવાયત

વાંકાનેર : વાંકાનેરના ભલગામ નજીક આજે સાંજના અરસામાં એક મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને હત્યાની આશંકને લઈ હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામ પાસે તુલસી હોટેલની સામે આજે સાંજે 6 વાગ્યાના અરસામાં એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પરપ્રાંતીયનો હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી મોતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. ઉપરાંત મૃતકની ઓળખ પણ થઈ નથી ત્યારે હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ઉપરાંત ઇન્ચાર્જ તાલુકા પીએસઆઈ બીડી જાડેજા સહિતનાએ ઘટના સ્થળે દોડી જઈ પોલીસ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

આ સમાચારને શેર કરો