શાળાઓ ઉઘડે તે પહેલાં 22,000 શિક્ષકો, વિદ્યા-જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 21મીના બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને (1) રાજ્યભરમાં જિલ્લાવાર શાળાઓમાં 22,000થી વધુ શિક્ષકો, વિધા-સહાયકો અને જ્ઞાન સહાાયકોની ખાલી જગ્યાઓ ઉઘડતી શાળા અગાઉ તાત્કાલિક ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં જૂનથી શાળાઓ ખુલવાની શરુઆત થશે ત્યારે સરકાર માટે સૌથી પરેશાન કરતો મુદ્દો, તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, વિધા-સાહયકો અને તેમના સ્થાને મૂકાતા જ્ઞાનિ સહાયકોની ખાલી જગ્યાઓ છે. તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન પણ વિપક્ષ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓ બાબતે સરકારને બરાબરની ભીંસમાં લેવાઈ હતી. એક તબક્કે તો, વિપક્ષ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 40,000 કરતાં પણ વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં હવે મુખ્યમંત્રીએ, મંત્રીમંડળની બેઠકમાં જૂન-2025માં શાળાઓ ખુલવાની શરુઆત થાય તે પહેલાં એટલે કે અત્યારથી જ શિક્ષકોની ખાલી જગ્યાઓની જિલ્લા-તાલુકા, શહેરવાર વિગતો મેળવીને આ ખાલી જગ્યાઓ ભરવા અંગે શિક્ષણ મંત્રી અને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓને ખાસ આદેશ કર્યો છે. આ ભરતી પ્રક્રિયામાં કઈ કેટરમાં કોને પ્રાથમિકતા આપવી તે બાબતે પણ શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.

એવી જ રીતે મંત્રીમંડળની બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ દરમ્યાન જે કેળા અને કેરી, તલ અને ડાંગર સહિતના ઉનાળું પાકને જે જે જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો તારાજ થયા છે. તે અંગેની વિગતો મેળવીને તેનો તાત્કાલિક સર્વે કરવાની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જોકે, આ દરમ્યના આગામી દિવસોમાં ગુજરાતના કાંઠાળ જિલ્લાઓમાં વાવાઝોડાની પણ આગાહી કરાઈ રહી છે ત્યારે તેના આગોતરા પગલાં ભરીને આ સર્વેમાં આવરી લેવા સૂચના આપાઈ છે.

આ સમાચારને શેર કરો