Placeholder canvas

રાણેકપર શાળામાં બાળકો દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરાય…

વાંકાનેર: આજ રોજ 5 સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પ્રસંગે વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રા.શાળામાં બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ શિક્ષક દિનની ઉજવણીમાં 30 બાળકોએ હોશે હોશે ભાગ લીધો. બાળકોમાં શિક્ષક અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે અને રસ જાગે તે માટે આ કાર્યક્રમ થયો જેનું તમામ સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું હતું. અંતમાં આજના શિક્ષકદિનના આચાર્ય જગદીશ સાકરીયા એ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો