ટંકારા: રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગૌરીનંધન દુદાળા ગણેશજીની ભવ્ય ઉજવણી
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારામાં રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગૌરીનંધન દુદાળા ગણેશજીની ભવ્ય ઉજવણી શરૂ શેરી અને મહ્હોલા વિધ્નહર્તા ના નાદથી ગુજી ઉઠ્યા. કોરોના પગલે સરકારની ગાઈડ લાઈન મુજબ પંડાલ ઉભા કરાયા.
એકદંતાય વિધ્નહર્તાના ગણેશ ઉત્સવને લઈ ટંકારા જાણે મુંબઈમાં પલટી દેવામાં આવ્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. ટંકારા તાલુકાના ગામડા અને શહેરોમાં મહોલ્લા, ધર અને પંડાલોમાં ગણપતિદાદાનુ શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે સ્થાપક આરાધના શરૂ થઈ ગઈ છે.
દેશની માયા નગરી મુબઈ બાદ ગુજરાતની મેગા સિટી માથી નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ પહોચી ગયો છે. ટંકારાના ધેટીયા વાસ, મકનાની શેરી, લક્ષ્મી નારાયણ શેરી નં 6 સહીત નેકનામ જબલપુર સહિત નાનામા નાના ગામડે પણ ગણેશજીની વિધીવત સ્થાપન કરવામાં આવી છે. નિત્ય સવારે અને રાત્રે મહાઆરતી, શ્રીગાંર, મહાપ્રસાદ, સેવા – પુજા સહીતની મહેમાન ગતી દુદાળા દેવ ટંકારામાં પણ માણશે. આ વર્ષે કોરોના વાઈરસને પગલે નિયમો પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CRnzuftkvivJND5EyfVmhB
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews