Placeholder canvas

ટંકારા: શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ગુરૂવારે ત્રિવિધ ધાર્મિક ઉત્સવ…

ટંકારા ગામના દેરીનાકા ઝાપા બહાર ડેમી નદીના કિનારે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે આગામી 06-04-2023ને ગુરૂવારે માતા સિતાના દુલારા શ્રી રામચંદ્રના પરમ ભક્ત અંજની પુત્ર, મહાબલી, પવનપુત્ર મહાવિર અને કળિયુગના જીવતા જાગતા હાજરા હજૂર દેવ, ટંકારા પંચવટી ધામમાં બિરાજમાન શ્રીપંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં પ્રાગટ્ય દિવસે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી અર્પણ થશે સાથોસાથ બ્રહ્મચૌરાસીનુ આયોજન કર્યું છે.

આમ બ્રહ્મલિનશ્રી 108 રામદાસ બાપુની બિજી પુર્ણતિથી, હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી મહોત્સવ આમ ત્રિવેણી અવસરે ઉપસ્થિત રહેવા મહંત શ્રી સીતારામ બાપુ તથા સેવકગણ અને વ્યવસ્થા સમિતીએ ધાર્મિક ઉત્સવમાં જોડાવવા અને મહા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે વાજતે ગાજતે શ્રી પંચવટી ધામ ખાતેથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુધી શોભાયાત્રા યોજાશે અને ધ્વજાજી અર્પણ કરવામાં આવશે બપોરે મહા આરતી બાદ બ્રહ્મચૌરાસી અને બાદમાં હનુમાન ભક્તોનો મહાપ્રસાદ યોજાશે.

આ સમાચારને શેર કરો