Placeholder canvas

વાંકાનેર: ”આઝાદી કા અમૃત મહોત્સવ”માં તીથવાની વિદ્યાર્થીની સુરૈયા ચિત્રકલાની સપ્રધામાં પ્રથમ

વાંકાનેરઃ”આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનો કલાઉત્સવ બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે ઉજવાઈ ગયો.આ કલાઉત્સવમાં શ્રી તીથવા તાલુકા શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જીદાણી સુરૈયા સિકંદરભાઈએ ચિત્રકલાની હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શ્રી તીથવા તાલુકા શાળા અને CRC તીથવાનું ગૌરવ વધાર્યું છે.

જીદાણી સુરૈયા સિકંદરભાઈ હવે જિલ્લા કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.જિલ્લા કક્ષાએ પણ ઝળહળતી સફળતા મેળવી વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારે તેવી શાળા પરિવાર તરફથી આશા સહ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

CRC કક્ષાના કલાઉત્સવમાં પણ શ્રી તીથવા તાલુકા શાળાની બે વિદ્યાર્થીનીઓ ચિત્રકલા અને બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તાલુકા કક્ષા સુધી પહોચી હતી.

આ સમાચારને શેર કરો