Placeholder canvas

વાંકાનેર-લુણસરીયા વચ્ચે રેલ્વે ટ્રેક પર અજાણ્યા યુવાનનો આપઘાત….

વાંકાનેર: જંકશન અને લુણસરીયા સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક પર એક યુવાને ત્યાંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યો હતો. આ બનાવની રેલ્વે પોલીસે નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે….

આ બનાવની મળેલ માહિતી મુજબ ગઈકાલ સાંજના સવા ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર જંકશન અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ કોઇ અગમ્ય કારણોસર એક 35 વર્ષીય અજાણ્યા યુવાને પડતું મુકી આપઘાત કર્યો હતો. જો કોઈને મૃતક યુવાન વિશે માહિતી મળે તો તેણે રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહનો મો. 9173555538 પર સંપર્ક કરવો…

આ સમાચારને શેર કરો