વાંકાનેર: જડેશ્વર મંદિર નજીક બાવળના ઝાડે લટકી યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર નજીક ડુંગરામા આવેલ બાવળના ઝાડ સાથે પાલસ્ટિકની દોરી બાંધી ટંકારા તાલુકાના હડમતીયા ગામના રાજેશભાઇ હંસરાજભાઈ ઘુમલિયા નામના વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને માનસિક બીમારી હોવાનું અને ઘેરથી એક્ટિવા લઇને નીકળી ગયા બાદ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ સમાચારને શેર કરો