Placeholder canvas

વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં બે પુત્રીઓ સાથે માતાનો સામુહિક આપઘાત…

માતા અને બે પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે, બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવની જાણ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 19) અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…

આપ બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે….

આ સમાચારને શેર કરો