વાંકાનેર એસટી વિભાગ દ્વારા વાંકાનેર થી દ્વારકા બસ સેવા શરૂ કરાય…

રાજકોટ વિભાગ ના વાંકાનેર એસ. ટી. ડેપો માં રાજ્યસભા ના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાની રજૂઆત હોય જેઓ દ્વારા રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો માં વાંકાનેર ની જનતા માટે વાંકાનેર થી દ્વારકા બસ સેવા ચાલુ કરવા માટે યોગ્ય રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક કલોતરા તેમજ વિભાગીય પરિવહન અધિકારી ડાંગરની સૂચના મુજબ રાજકોટ વિભાગ ના પ્રમુખ જયુભા. ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવી આજ રોજ કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત શ્રી મુકેશ ભગત દ્વારા બસ ને લીલી જંડી આપી ડ્રાઈવર જે. કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર અને સાલ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે. જે. જાડેજા,યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, ATI રહીમભાઈ પરમાર, ATI હકુવીરસિંહ પરમાર,TCવિરેન્દ્રસિંહ જાડેજા,TC રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા,જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી,એસ . વી. ઝાલા, બી. ડી. ગોહિલ,તાલુકા તેમજ શહેર સંગઠન ના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો તેમજ નગર પાલિકા ના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

આ સમાચારને શેર કરો