વાંકાનેર

રાત્રે સુતા હતાને સાપ કરડી ગયો.

વાંકાનેર: આજે વહેલી સવારના આશરે 3 વાગ્યે મૂળ એમપીના અને હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મંજુબેન અનિલભાઈ માવીને રાત્રે સૂતા હતા ત્યારે ઝેરી સાપ કરડ્યો હતો.

તેઓએ તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ના પાયલોટ રવિભાઈ દેવમુરારી અને ઇએમટી હિતેશભાઈ ઝાપડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પેશન્ટને 108માં ERCP ડૉ. મહેશભાઈએ જણાવ્યા મુજબ કુત્રિમ શ્વાસ વી. ટ્રીટમેન્ટ આપી હતી. અને વાંકાનેર હોસ્પિટલે પહોંચાડીયા હતા. બાદમાં રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, હાલ તબિયત સારી છે.

આ સમાચારને શેર કરો