વાંકાનેર: એસ.એમ.પી. હાઈસ્કુલ સીંધાવદરના ૩૫૦ વિધાર્થીઓ પોતાના ધરે વૃક્ષારોપણ કરશે.

વાંકાનેર: આજરોજ એસ.એમ.પી. હાઈસ્કુલ સીધાવદર ખાતે વિના મુલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં સંસ્થાના ૩૫૦ વિધાર્થીઓએ હોસે હોસે ભાગ લીધો.

ગત સ્વતંત્રતા દિવસ ૧૫ મો ઓગષ્ટના રોજ ધી પીર કાસિમ અલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ શકિલ પીરઝાદા દવારા તેમના વકત્વયમાં વિધાર્થીઓને વૃક્ષારોપણ અને વ્યસન મુકિતનુ આહવાન કર્યુ હતુ. જેના પ્રતીસાદ રૂપે સંસ્થા દવારા સંચાલીત એસ.એમ.પી હાઈસ્કુલ સીધાવદરના આચાર્ય તથા સ્ટાફ દવારા સ્કુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ તા.૨૦-૮-૨૦૨૪ ના રોજ યોજવામા આવેલ. તેમજ ૩૫૦ વિધાર્થીઓને લિંબુ, આસોપાલવ, લીમડો, જામફળ, આંબલી, ગુલમહોર, બોરડી વગેરે રોપાઓ વિનામુલ્યે આપી પોતાના ઘરે વૃક્ષારોપણ કરવાનું અસાયમેન્ટ આપવામાં આવ્યુ છે. તેમજ તેની માવજત યોગ્ય રીતે થાય છે કે કેમ તેનુ નિરીક્ષણ કરવાની જવાબદારી જે તે ગામના એક કે બે વિધાર્થીઓને આપવામાં આવી છે. સારી રીતે વૃક્ષની માવજત કરી વૃક્ષનો ઉછેર કરનાર વિધાર્થીને આ ગામે રાષ્ટ્રીય પર્વો પ્રજાસતાક દિવસ (૨૬ મી જાન્યુઆરી) તથા સ્વતંત્રતા દિવસ (૧૫ મી ઓગષ્ટ) ના દિવસે સન્માન કરવામાં આવશે.

સંસ્થા દવારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી પ્રર્યાવરણની માવજતનો સંદેશો વિધાર્થીઓ દવારા સમ્રગ દેશને આપવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો