Placeholder canvas

વાંકાનેર: બિમારીથી વૃદ્ધે કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યૂ હતું, આ બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ સિપાઈ શેરી સામે રહેતા ઉદ્યોગપતિ દિલીપભાઈ મણીલાલ જોબનપુત્રા નામના 76 વર્ષીય વૃદ્ધએ પોતાના ઘરમાં રસી વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ લાંબા સમયથી બિમાર હોય, જેનાથી કંટાળી તેઓએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ છે…

આ સમાચારને શેર કરો