સિંધાવદર મળી આવેલી લાશ ઝારખંડના યુવકની નીકળી…

વાંકાનેર : સિંધાવદર-પાંચદ્વારકા રસ્તા ઉપર બે દિવસ પૂર્વ આસોઈ નદીના કાંઠે મળી આવેલી લાશ ઝારખંડના યુવકની હોવાની સામે આવ્યું છે.

ઝારખંડથી રોજી રોટી કમાવવા વાંકાનેર આવી રહેલ શ્રમિક યુવક ભૂલથી વાંકાનેર રેલવે સ્ટેશનને બદલે સિંધાવદર રેલવે સ્ટેશને ઉતરી ગયા બાદ નદી કાંઠે જતા પાણીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર-પાંચદ્વારકા રોડ આવેલ આસોઇ નદીમાં ડૂબી જતાં સોવનભાઈ લેબેયાભાઈ બિરુવા રહે. કેન્દપોસી, ઝારખંડ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેરના સરતાનપર રોડ, સેકોલ સીરામીક ખાતે રહેતા મૃતકના ભાઈ રાજીવભાઇ લેબેયાભાઇ બીરુવાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, મૃતક સોવનભાઈ રોજગારી માટે પહેલી વખત ગુજરાત આવતો હતો ત્યારે ભૂલથી વાંકાનેરને બદલે સિંધાવદર રેલવે સ્ટેશને ઉતરી ગયો હતો જ્યાંથી કોઈપણ રીતે પાંચ દ્વારકા રોડ ઉપર જતા આસો નદીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો