Placeholder canvas

નવ મામલતદારને બઢતી સાથે બદલી : વાંકાનેર પ્રાંત તરીકે શેરસિયા મુકાયા

વાંકાનેર : રાજ્ય સરકાર દ્વારા નવ મામલતદારને નાયબ કલેકટર સંવર્ગમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે. જે અન્વયે અમદાવાદ ખાતે મામલતદાર તરીકે ફરજ નિભાવતા એ. એચ. શેરસીયાને વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવમાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત મુલ્કી સેવામાં કલાસ-2માં મામલતદાર તરીકે ફરજ બજાવતા 9 અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)માં કલાસ-1 નાયબ કલેક્ટરમાં બઢતી આપવામાં આવી છે. જે મુજબ અમદાવાદ ખાતે કલેકટર કચેરીમાં મામલતદાર એ. એચ. શેરસીયાને મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો