Placeholder canvas

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ પદે વનરાજકુમારસિંહજીની વરણી

By કનુભાઈ ખાચર – બોટાદ
અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ પદે દરબાર શ્રી વનરાજકુમારસિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટની તારીખ 19/10/2022 ના રોજ વરણી કરવામાં આવી.

ગુજરાતમાંથી મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલ ઓફ ભાવનગર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે તથા મહારાવલ જયપ્રતાપસિંહ ચૌહાણ ઓફ છોટાઉદેપુર ની પ્રદેશ ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવી તથા મહારાજ કુમાર ફાલ્ગુન સિંહજી ઝાલા ઓફ ચુડા સન્માનિત સદસ્ય તથા ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી ગોહિલ ઓફ લાઠી સ્ટેટ તથા દરબાર સાહેબ મહાવીરસિંહજી ખાચર ઓફ ચોટીલા સ્ટેટની વિશેષ સન્માનિત સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

શ્રીમંત વિક્રમાદિત્ય સિંહજી જુદેવ તથા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા સમગ્ર ભારત ભરના ક્ષત્રિય સંગઠનો સંતો, મહંતો, રાજવીઓ રાજકીય આગેવાનો તથા અધિકારીગણ તથા જાહેર જનતા જનાર્દન તરફથી શુભકામના પાઠવવામાં આવેલ.

આ સમાચારને શેર કરો