Placeholder canvas

પંચાસીયાની કિશાન સેવા સહકારી મંડળીની થયેલ “ગુપ્ત ચૂંટણી” રદ: ડી.આર.મોરબી દ્રારા વહીવટદારની નિમણુંક

શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયાના વ્ય.કમીટી સભ્યોની ચુંટણી રદ ક૨ી જીલ્લા રજીસ્ટા૨શ્રી મા૨ફત ચુંટણી ક૨વાનો હુકમ ક૨તી લવાદ કોર્ટ…
ચુંટણી પ્રક્રિયા પારદર્શક અને શંકા ૨હીત ક૨વી જોઈએ – જજશ્રી જયકાંત દવે
ચુંટણી પ્રક્રિયા માટેની પાયાની શરતો જેવી કે ચુંટણી અંગેના જાહેરનામાંની પ્રસિધ્ધ બહોળા પ્રમાણમાં ક૨વી જોઈએ.

રાજકોટ: અત્રેની લવાદ કોર્ટ રાજકોટનાં સીનીયર જજ શ્રી જયકાંત એન. દવે એ શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાની સને – ૨૦૨૧ થી સને ૨૦૨૬ સુધીની વ્ય.કમીટી સભ્યોની ચુંટણી રદ કરવા અન્વયેનો દાવો મંડળી સભાસદ યુનુસભાઈ માહમદભાઈ ખોરજીયાએ ચુંટણી રદ કરીને ફરીવાર જીલ્લા રજીસ્ટાર, મોરબી મારફત ચુંટણી કરવાનો દાવો દાખલ કરેલ અને તેમાં લવાદ કોર્ટ ધ્વારા કારોબારી સમિતી સભ્યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્ટારે તટસ્થ ચુંટણી અધિકારીની નીમણુંક કરીને મંડળીના વ્ય.કમીટી સભ્યોની ચુંટણી ફ૨ીવા૨ ક૨વાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયામાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા કારોબારી સમિતી સભ્ય છે અને અગાઉ આ મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયાના વ્ય.કમીટી સભ્યોની સને – ૨૦૨૧ માં પુર્ણ થતી હોય જેથી મંડળીના જાગૃત સભાસદો તટસ્થ રીતે ચુંટણી થાય તેવી માંગ સાથે જરુરી વિગતો માંગતા પરંતુ વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા તથા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી તેના ધ્વારા કોઈ વિગતો, હકીકતો આપવામાં આવેલ નથી અને તે બાબતે રાજય રજીસ્ટારશ્રી, જીલ્લા રજીસ્ટારશ્રી સહીતની ઓથોરીટી સમક્ષ રજુઆતો થયેલ. વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા ત્યા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી બેઠાથાળે અને કોઈપણ સભાસદનો જાણ કર્યા વગર ચુંટણી કરી નાખશે તેવી દહેશત હતી અને મંડળીના હોદેદારોએ તે શંકા મુજબ બેઠાથાળે ચુંટણી કરી નાખેલ જેથી મંડળીના સભાસદોએ આ અંગેની જીલ્લા રજીસ્ટાર મો૨બીને ૨જુઆત કરતાં નામદર લવાદ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવાનું જણાવેલ. મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર,દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ચુંટણી રદ કરવા અને ફરીવાર ચુંટણી ક૨વા માટેની અરજી આપેલ.

મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયા એવી જોરદાર રજુઆત ક૨ેલ છે કે, મંડળીના હાલના હોદેદારોએ તેની પાસે બહુમતી ન હોવા છતાં મંડળીમાં પોતે ચીટકી રહે તેવા બદઈરાદાથી કોઈપણ સભાસદોને જાણ થયા વગર ચુંટણી કરી નાખેલ છે અને તે તમામ બાબતો મંડળીના રેકર્ડ ઉપ૨થી સાબીત થાય અને તે રીતે ચુંટણી પક્રિયા દુષીત થયેલ છે અને જયારે ચુંટણી પકીયા દુષીત થયેલ હોય તેવા સંજોગોમાં વચગાળાના તબકકે ચુંટણી રદ કરીને ફરીવાર ચુંટણી કરવી જોઈએ અન્યથા જે સભાસદો પાંચ વર્ષથી ચુંટણી લડવાની રાહ જોઈ રહેલ હોય તેનો કાયદાકીય હકક છીનવાય જાય છે અને લોકોનો સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે અને તેનાથી સહકારી માળખુ જોખમમાં મુકાઈ જાય તેવું કૃત્ય કરેલ છે જેથી તે તમામ કૃત્ય કાર્યવાહીઓ રદ કરી ફરીવાર ચુંટણી કરવી જરુરી છે.

નામદાર લવાદ કોર્ટના સીનીય૨ જજશ્રી જયકાંત દવે ધ્વા૨ા દાવા અ૨જી, જરૂરી દસ્તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ આપેલ, અદાલતે તમામ પેપર્સ, કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને સતિષ આ૨.દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્ય જણાતાં મંડળીના કા૨ોબારી સમિતી સભ્યોની ચુંટણી ૨દ ક૨ીને જીલ્લા ૨જીસ્ટાર, મો૨બીએ તટસ્થ ચુંટણી અધિકારીની નીમણુક ક૨ીને એક માસમાં ચુંટણી ક૨વી અને તેનો અહેવાલ નામદાર લવાદ કોર્ટમાં ૨જુ ક૨વાનો હુકમ ફરમાવેલ છે.

આ હુકમ અન્વયે જીલ્લા રજીસ્ટાર અન્વયે મંડળીમાં શુન્યઅવકાશ સર્જાય નહી તે માટે અને મંડળીનો વહીવટ ખોરવાઈ નહી તે માટે તાત્કાલીક અસ૨થી વહીવટદારની નીમણુંક કરતો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં મંડળીના સભાસદ યુનુસ માહમદભાઈ ખોરજીયા વતી રાજકોટના સહકા૨ી ક્ષેતના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.

આ સમાચારને શેર કરો